PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી PM-KISAN (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ) યોજના દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે ત્રણ અલગ-અલગ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે. પરંતુ, હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આધાર કાર્ડ લિંક ન હોવાને કારણે 73,000 થી વધુ ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે.

