Get App

એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ બાદ પણ નોમિનીને પૈસા ન મળ્યા! HDFC બેંકનો કિસ્સો જાણીને ચોંકી જશો, જાણો ક્યાં કરવી ફરિયાદ

HDFC Bank Complaint: HDFC બેંકમાં પતિના મૃત્યુના 1 વર્ષ પછી પણ દીકરીને પૈસા ન મળતા મહિલાએ સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી. જાણો નોમિની સેટલમેન્ટમાં મોડું થાય તો ગ્રાહકે ક્યાં ફરિયાદ કરવી અને શું છે RBIના નિયમો.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2026 પર 12:58 PM
એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ બાદ પણ નોમિનીને પૈસા ન મળ્યા! HDFC બેંકનો કિસ્સો જાણીને ચોંકી જશો, જાણો ક્યાં કરવી ફરિયાદએકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ બાદ પણ નોમિનીને પૈસા ન મળ્યા! HDFC બેંકનો કિસ્સો જાણીને ચોંકી જશો, જાણો ક્યાં કરવી ફરિયાદ
HDFC Bank Complaint: HDFC બેંકમાં પતિના મૃત્યુના 1 વર્ષ પછી પણ દીકરીને પૈસા ન મળતા મહિલાએ સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી.

HDFC Bank Complaint: આજના સમયમાં આપણે ભવિષ્યની સુરક્ષા માટે બેંકમાં નોમિનીનું નામ અવશ્ય લખાવતા હોઈએ છીએ, જેથી આપણા પછી પરિવારને કોઈ મુશ્કેલી ન પડે. પરંતુ દેશની મોટી પ્રાઈવેટ બેંક HDFC Bankમાં સામે આવેલા એક કિસ્સાએ ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે. પતિના મૃત્યુના એક વર્ષ પછી પણ બેંકે તેમના એકાઉન્ટમાં જમા રકમ નોમિની (દીકરી)ને ટ્રાન્સફર નથી કરી. આ બાબતે સોશિયલ મીડિયા પર એક ફાઈનાન્શિયલ જર્નાલિસ્ટે પોતાની આપવીતી શેર કરી છે.

શું છે સમગ્ર મામલો?

ફાઈનાન્શિયલ જર્નાલિસ્ટ વીણા વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની મુશ્કેલી વર્ણવતા લખ્યું છે કે, તેમના પતિના મૃત્યુને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આમ છતાં, HDFC બેંકે હજુ સુધી એકાઉન્ટમાં રહેલી રકમ તેમની દીકરીને ટ્રાન્સફર કરી નથી, જે તે એકાઉન્ટની રજિસ્ટર્ડ નોમિની છે.

બેંકની બેદરકારી અને બહાના

વીણા વેણુગોપાલના જણાવ્યા મુજબ, પતિના મૃત્યુના તરત જ પછી તેમણે બેંકને ડેથ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા હતા. પરંતુ થોડા સમય પછી બેંકે પરિવારને કહ્યું કે જૂનો સ્ટાફ નોકરી છોડીને જતો રહ્યો છે, તેથી ડોક્યુમેન્ટ્સ મળી રહ્યા નથી. બેંકે ફરીથી તમામ કાગળો, સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ ડોક્યુમેન્ટ્સ અને મૃત્યુ બાદ થયેલા ઓટો-ડેબિટની વિગતો માંગી. હદ તો ત્યારે થઈ જ્યારે બેંકે ઓટો-ડેબિટ માટે વીમા કંપની પાસેથી મંજૂરી લાવવાનું પણ કહ્યું.

20 વર્ષની દીકરીને ધક્કા ખાવા પડ્યા

સૌથી દુઃખદ બાબત એ હતી કે નોમિની તરીકે નામ હોવાથી તેમની 20 વર્ષની દીકરીને વારંવાર બેંકના ધક્કા ખાવા પડ્યા. જ્યારે પણ તે બેંકમાં જતી, ત્યારે નવા અધિકારીઓ સામે આવતા અને તેણે દરેક વખતે પોતાના પિતાના મૃત્યુની આખી વાત ફરીથી સમજાવવી પડતી હતી. વેણુગોપાલે સ્પષ્ટ કર્યું કે આ એકાઉન્ટને લઈને કોઈ વિવાદ નથી અને પરિવાર સિવાય બીજું કોઈ દાવેદાર પણ નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો