દેશના કરોડો નોકરીયાત વર્ગ માટે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે એક મોટી જાહેરાત કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન નાણાકીય વર્ષ 2025-26 માટે વાર્ષિક વ્યાજના પૈસા 15 જુલાઈથી સબસ્ક્રાઈબર્સના એકાઉન્ટમાં જમા કરવાનું શરૂ કરી દેશે.

