ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોને મુસાફરોની સુવિધા માટે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા લોકો માટે આ એક મોટા રાહતના સમાચાર છે. મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ 30 સ્પેશિયલ ટ્રેનોની સમયમર્યાદા વધારીને 31 ઓગસ્ટ 2026 સુધી કરી દીધી છે. પશ્ચિમ રેલવેના CPRO વિનીત અભિષેકે આ નિર્ણયની માહિતી આપતા તમામ ટ્રેનોનું નવું ટાઈમટેબલ જાહેર કર્યું છે.

