NPS account closure rules: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ પેન્શન યોજનામાં રોકાણ કરનારા ગ્રાહકો માટે મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. સરકારે NPSના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેના કારણે ચોક્કસ શ્રેણીના ખાતાઓ ટૂંક સમયમાં બંધ થઈ જશે. જો તમે ભારતીય નાગરિકત્વ છોડી દીધું હોય અને તમારી પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ નથી, તો તમારું NPS ખાતું બંધ થઈ શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ આ સંબંધમાં નવા નિર્દેશો સાથે એક સર્ક્યુલર જારી કર્યું છે.