Get App

Income Tax Notices: ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો ગભરાશો નહીં, જાણો ટેક્સપેયર્સે આઇટી નોટિસનો જવાબ કેવી રીતે આપવો

Income Tax Notices: હાલના સમયમાં આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઇન્કમ ટેક્સની નોટિસ મોકલવામાં આવે છે

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 12:05 PM
Income Tax Notices: ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો ગભરાશો નહીં, જાણો ટેક્સપેયર્સે આઇટી નોટિસનો જવાબ કેવી રીતે આપવોIncome Tax Notices: ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો ગભરાશો નહીં, જાણો ટેક્સપેયર્સે આઇટી નોટિસનો જવાબ કેવી રીતે આપવો
આઇટી નોટિસ મળ્યા બાદ ટેક્સપેયરને જવાબ આપવા માટે સામાન્ય રીતે 15 દિવસનો સમય મળે છે. જો ટેક્સપેયર નિર્ધારિત સમયગાળામાં ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસનો પ્રત્યુત્તર ન આપી શકે તો તેઓ સ્થાનિક ઇન્કમ ટેક્સ ઓફિસરને સમયમર્યાદા વધારવા માટે વિનંતી કરી શકે છે.

Income Tax Notices: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગમાં તમે બોગસ ટેક્સ કપાત અથવા ટેક્સ મુક્તિનો દાવો કરનાર ટેક્સપેયર મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તાજેતરમાં કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગ પગારદાર ટેક્સપેયર્સને નોટિસ મોકલી રહ્યું છે, જેમાં તેમના દ્વારા ITRમાં ક્લેમ કરાયેલા કર મુક્તિ અને કપાતનો પુરાવો માંગવામાં આવ્યા છે.

ઇન્કમટેક્સના નિયમો ટેક્સપેયર્સને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ઘણી ટેક્સ મુક્તિઓ અને ટેક્સ કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. જો કે, નિષ્ણાંતો કહે છે કે ટેક્સપેયર્સ તેમના આવકના રિટર્નમાં ખોટા અથવા બોગસ કપાતનો દાવો કરે છે તેઓ આવકવેરા વિભાગનું ધ્યાન ખેંચી શકે છે અને તેમને નોટિસ ફટકારવામાં આવી શકે છે.

નિષ્ણાંતોના મતે “આવકવેરા વિભાગ ઘણા સોર્સમાંથી ટેક્સપેયરની આવક અને ખર્ચ વિશે વિપુલ માહિતી એકઠી કરી શકે છે. જ્યારે પણ ટેક્સપેયર દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં ફાઇલ કરવામાં આવેલી માહિતી અને સ્વતંત્ર સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતી વચ્ચે વિસંગતતા હોય ત્યારે આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવવાની શક્યતા વધી જાય છે.”

ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળ્યા પછી તમારે શું કરવું જોઈએ?

બધા સમાચાર

+ વધુુ વાંચો