મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આવકવેરાદાતાઓને વહેલી તકે રિટર્ન ફાઇલ કરવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે નાણા મંત્રાલય 31 જુલાઈની સમયમર્યાદા લંબાવવાનું વિચારી રહ્યું નથી. મલ્હોત્રાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "અમે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ રિટર્ન ભરવાની અપેક્ષા રાખીએ છીએ. અમને આશા છે કે તે ગયા વર્ષ કરતાં વધુ રહેશે." ગયા વર્ષે 31 જુલાઈ સુધી લગભગ 5.83 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે રિટર્ન ભરવાનો આ છેલ્લો દિવસ હતો.

