RBI એ e-RUPI વાઉચરને લઈને મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે આ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે હવે નોન-બેન્ક કંપનીઓ e-RUPI વાઉચર જાહેર કરી શકશે. આનાથી e-RUPI vouchers જાહેર કરતી સંસ્થાઓનો વ્યાપ વધશે. દાસે ફાયનાન્સિયલ પોલીસી રજૂ કરતી વખતે આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં બેન્કો ચોક્કસ ઉપયોગ માટે e-RUPI વાઉચર જાહેર કરે છે. e-RUPI વાઉચરનો વ્યાપ અને પહોંચ વધારવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત હવે નોન-બેન્ક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) જાહેર કરતી સંસ્થાઓ પણ વ્યક્તિઓ વતી ઇ-RUPI વાઉચર ઇશ્યૂ કરી શકશે. તેમણે e-RUPI વાઉચર્સ જાહેર કરવાની પ્રોસેસ અને તેના રિડેમ્પશનને આસાન બનાવવા વિશે પણ વાત કરી.

