Barrier-free toll system Surat: ભારતના હાઈવે પર મુસાફરી કરનારા લોકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી લાઈનો અને સમયનો બગાડ હવે ભૂતકાળ બની જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ગુજરાતના સુરતમાં દેશનું સૌપ્રથમ ‘બેરિયર-ફ્રી’ ટોલિંગ સિસ્ટમ સત્તાવાર રીતે કાર્યરત કરી દીધું છે. આ નવી ટેકનોલોજીને કારણે હવે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

