Get App

PPF ખાતાધારકના મૃત્યુ થવા પર બંધ થઈ જાય છે એકાઉન્ટ, પછી કોને મળે છે પૈસા, જાણો શું છે નિયમ

Public Provident Fund-PPF: જો PPF લેનાર ધારક 15 વર્ષના સમયગાળામાં મૃત્યુ પામે તો શું થશે ? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?

MoneyControl Newsઅપડેટેડ Nov 25, 2022 પર 1:26 PM
PPF ખાતાધારકના મૃત્યુ થવા પર બંધ થઈ જાય છે એકાઉન્ટ, પછી કોને મળે છે પૈસા, જાણો શું છે નિયમPPF ખાતાધારકના મૃત્યુ થવા પર બંધ થઈ જાય છે એકાઉન્ટ, પછી કોને મળે છે પૈસા, જાણો શું છે નિયમ

Public Provident Fund-PPF: નોકરિયાત, સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને EPFO ​​દ્વારા આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે PPFએ રોકાણનો સારો વિકલ્પ છે. આ સિવાય જે લોકો પાસે નોકરી નથી, જેઓ બિઝનેસ કરી રહ્યા છે તેઓ પણ PPFમાં રોકાણ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, PPF સ્કીમને 15 વર્ષથી વધુ સમય સુધી ચાલુ રાખી શકાય છે, જેથી મેચ્યોરિટીના સમયે મોટું ફંડ બનાવી શકાય. પરંતુ જો PPF ધારક 15 વર્ષની અંદર મૃત્યુ પામે તો શું ? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?

મૃત્યુ થવા પર PPFનું શું થશે?

ધારો કે કોઈ વ્યક્તિ PPFમાં 15 વર્ષ માટે રોકાણ કરે છે. તે દર મહિને કે વર્ષમાં એકવાર તેના રોકાણમાં નાણાં મૂકે છે. જો આ દરમિયાન પીપીએફ ધારકનું મૃત્યુ ગમે ત્યારે થાય છે એટલે કે 8 કે 10 વર્ષ પછી, નોમિનીને સંપૂર્ણ પૈસા મળે છે. 15 વર્ષની પરિપક્વતાનો નિયમ તેને લાગુ પડતો નથી. નોમિનીને પૈસા આપ્યા બાદ પીપીએફ ખાતું બંધ કરી દેવામાં આવે છે.

નોમિની સાથે કેવી રીતે થાય છે સેટલમેન્ટ?

નિયમો મુજબ મૃત્યુના દાવાની પતાવટ અનેક કારણોના આધારે કરવામાં આવે છે. જો દાવાની રકમ 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોય, તો મૃત્યુ પ્રમાણપત્ર, સંબંધના પુરાવા અથવા કાનૂની પુરાવાના આધારે નોમિનેશન સેટલમેન્ટ કરી શકાય છે. તે ઓથોરીટી પર આધાર રાખે છે. જો પૈસા 5 લાખ રૂપિયાથી વધુ હોય તો કાનૂની પુરાવા લાગુ કરવા જરૂરી છે.

આ પણ વાંચો- આવતા વર્ષે જાન્યુઆરીમાં ફરી વધશે DA,જાણો આ વખતે કેટલો થશે વધારો

PPF ખાતું 15 વર્ષ પછી બંધ કરી શકાય છે

બધા સમાચાર

+ વધુુ વાંચો