પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) સરકારની તરફથી શરૂ કરવામાં આવેલી સૌથી સફળ યોજનાઓમાંની એક છે, જેનાથી કરોડો લોકોને ફાયદો થયો છે. આજે આ સ્કીમ પર કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાઝ દ્વારા મળેલી એક્સક્લુઝિવ જાણકારી અનુસાર, સરકારની ઉજ્જવલા એલપીજી સબસિડી સ્કીમ (Ujjwala LPG Subsidy Scheme) ને 1 વર્ષના વિસ્તાર મળવાની સંભાવના છે. કેબિનેટ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને નાણાકીય વર્ષ 2025 સુધી વધારી શકે છે.