ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. RBI એ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનાના નિયમોમાં ફેરફાર કરવા માટે એક ડ્રાફ્ટ (ખરડો) જાહેર કર્યો છે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સરળતાથી લોન મળી રહે, પ્રક્રિયા સરળ બને અને ખેતીમાં આવતી નવી જરૂરિયાતો પૂરી થઈ શકે તે છે.

