SBI MCLR Rates: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ મે 2025 માટે તેના ધિરાણ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ નિર્ણય એપ્રિલ 2025 માં 0.25% ના ઘટાડા પછી આવ્યો છે, જે RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાને કારણે કરવામાં આવ્યો હતો. એપ્રિલમાં MCLR ઘટાડ્યા પછી, બેંકે મે મહિનામાં MCLRમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકે તેનો MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) યથાવત રાખ્યો છે.