ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) આગામી સપ્તાહે રેપો રેટ અંગે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે, જેની સીધી અસર પર્સનલ લોન, હોમ લોન અને કાર લોનના વ્યાજ દરો પર પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે, જેનાથી બેન્કોને સસ્તું ધિરાણ મળશે અને ગ્રાહકોને પણ ઓછા વ્યાજ દરે લોન મળવાનો લાભ થશે.