ભારત સરકાર નાણાકીય ક્ષેત્રમાં સુધારાના એક નવા તબક્કા પર વિચાર કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ મજબૂત અને વધુ સ્પર્ધાત્મક સંસ્થાઓનું નિર્માણ કરવાનો છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓના વિલિનીકરણ પર પણ ચર્ચા કરી શકે છે. આ પગલાં દેશની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા અને વધુ શક્તિશાળી સંસ્થાનો બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ હોઈ શકે છે.