ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પાંચમા રાઉન્ડની વાતચીત વોશિંગ્ટન ડીસીમાં પૂર્ણ થઈ છે. ભારતની ટીમનું નેતૃત્વ કરનારા ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલ હવે નવી દિલ્હી પરત ફરી રહ્યા છે. આ વાતચીત 1 ઓગસ્ટ 2025ના રોજ અમેરિકા દ્વારા નિર્ધારિત ટેરિફ ડેડલાઈન પહેલાં એક ઈન્ટરિમ ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપવા માટે હતી. આ વાતચીતમાં ખેતી, ઓટોમોબાઈલ અને ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે બંને દેશો માટે ફાયદાકારક સોદો બની શકે તેવી આશા છે.