હાલમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અફવાઓ અને ગ્રાહકોની ચિંતાને દૂર કરવા માટે દેશની અગ્રણી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. ગ્રાહકોનો ભરોસો જાળવી રાખવા માટે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમએ દેશભરના રિટેલ પેટ્રોલ પંપો પર ઇંધણની ક્વોલિટી તપાસવાનું અભિયાન ખૂબ જ ઝડપી બનાવી દીધું છે.

