દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપના સર રતન ટાટા ટ્રસ્ટમાં હવે મોટો આંતરિક વિવાદ ઊભો થયો છે. રતન ટાટાના નજીકના સાથી મનાતા મેહલી મિસ્ત્રીએ પોતાની ટ્રસ્ટી તરીકે ફરીથી નિમણૂક ન થવા બદલ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે તેમણે સીધી મહારાષ્ટ્ર ચેરીટી કમિશનર પાસે અરજી દાખલ કરી છે. મેહલી મિસ્ત્રીએ માત્ર પોતાની નિમણૂક જ નહીં પરંતુ ટ્રસ્ટના વહીવટ, હિતોના ટકરાવ અને નિર્ણયો લેવાની પ્રક્રિયા પર પણ આક્ષેપો કર્યા છે.

