સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે જાહેર ક્ષેત્રની બેન્કોનું NPA સતત ઘટી રહી છે. જાહેર ક્ષેત્રની બેન્કોની NPA સપ્ટેમ્બર 2024ના અંતે ઘટીને 3.12 ટકાના દાયકાના નીચા સ્તરે આવી ગઈ છે. માર્ચ 2018માં જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ એનપીએ 14.58 ટકા હતી. નાણા મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. સરકારના ચાર 'R' પગલાં એટલે કે સમસ્યાની માન્યતા (Recognition), પુનઃમૂડીકરણ (Recapitalization), ઉકેલ (resolution) અને સુધારા (Reform)ને કારણે NPAમાં ઘટાડો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 2015થી સરકારે જાહેર ક્ષેત્રની બેન્કો સામેના પડકારોનો સામનો કરવા માટે ચાર 'R' વ્યૂહરચના અપનાવી છે. આ હેઠળ, NPAની પારદર્શક ઓળખ, તેના નિરાકરણ અને બેડ લોનની વસૂલાત, PSBsમાં મૂડીનું રોકાણ અને નાણાકીય વ્યવસ્થામાં સુધારા માટે પગલાં લેવામાં આવ્યા હતા.