ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ તાજેતરમાં રેપો રેટમાં કરવામાં આવેલી કટોતી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, RBI દ્વારા રેપો રેટમાં કરવામાં આવેલો ઘટાડો કોઈ 'જાદુઈ ગોળી' નથી કે જે રોકાણને તાત્કાલિક વેગ આપી દે. અર્થતંત્રને ઉત્તેજન આપવા માટે બીજા ઘણા પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. રાજનના મતે, હાલના સમયમાં વ્યાજદર ખૂબ ઊંચા નથી, અને આ કટોતીની અસર દેખાવામાં થોડો સમય લાગશે.