ટેરિફના ઉપયોગ અંગે અર્થશાસ્ત્રીઓમાં મતભેદ છે. કેટલાક માને છે કે દેશના ઉદ્યોગોને બચાવવા અને વેપારી અસંતુલન દૂર કરવા ટેરિફ જરૂરી છે, જ્યારે અન્ય તેને નુકસાનકારક ગણાવે છે. તેનાથી લાંબા ગાળે ભાવ વધી શકે છે અને ટેરિફની કોમ્પિટિશન ટ્રેડ વોરને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં ગભરાટ વધશે તો સોનાની ખરીદી પણ તેજ થશે. આ યુદ્ધ સોના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.