Get App

ભારત પર દબાણ? અમેરિકી સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર: દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા કરી માગ, જાણો સમગ્ર મામલો

India US Trade: અમેરિકાના બે સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારતમાંથી દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા રજૂઆત કરી છે. જાણો આ નિર્ણયથી ભારતીય ગ્રાહકો અને અમેરિકન ખેડૂતો પર શું અસર થશે અને ટ્રમ્પની ટેરિફ પોલિસી શું છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2026 પર 5:17 PM
ભારત પર દબાણ? અમેરિકી સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર: દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા કરી માગ, જાણો સમગ્ર મામલોભારત પર દબાણ? અમેરિકી સાંસદોએ ટ્રમ્પને લખ્યો પત્ર: દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા કરી માગ, જાણો સમગ્ર મામલો
સાંસદોએ આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારત દુનિયામાં દાળનો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. સમગ્ર વિશ્વમાં જેટલી દાળની ખપત થાય છે, તેમાં એકલા ભારતનો હિસ્સો 27 ટકા જેટલો છે.

India US Trade: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના બે પ્રભાવશાળી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર લખીને ભારત સાથેના વેપારમાં દાળ (Pulses) પરની ઈમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત શુલ્ક ઘટાડવા માટે દબાણ કરવા વિનંતી કરી છે. આ સાંસદોનું કહેવું છે કે ભારતે જે ઊંચા ટેક્સ લગાવ્યા છે, તેના કારણે અમેરિકન ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

અમેરિકન ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન

અમેરિકાના મોન્ટાના રાજ્યના રિપબ્લિકન સાંસદ સ્ટીવ ડેન્સ અને નોર્થ ડકોટાના કેવિન ક્રેમરે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમના રાજ્યોમાં વટાણા અને અન્ય દાળનું મોટા પાયે ઉત્પાદન થાય છે. પરંતુ, નવી દિલ્હી (ભારત) દ્વારા લાદવામાં આવેલા અયોગ્ય શુલ્કને કારણે અમેરિકન ઉત્પાદકો વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકતા નથી અને તેમને આર્થિક ફટકો પડી રહ્યો છે. સાંસદોએ ટ્રમ્પને અપીલ કરી છે કે ભવિષ્યમાં ભારત સાથે કોઈપણ વેપાર સમજૂતી કરવામાં આવે, તો તેમાં દાળ અને કઠોળ માટે સાનુકૂળ નિયમો બનાવવા પર ભાર મૂકવો જોઈએ.

ભારત દાળનો સૌથી મોટો ગ્રાહક

સાંસદોએ આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારત દુનિયામાં દાળનો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. સમગ્ર વિશ્વમાં જેટલી દાળની ખપત થાય છે, તેમાં એકલા ભારતનો હિસ્સો 27 ટકા જેટલો છે. ભારતમાં મસૂર, ચણા, સૂકા બીન્સ અને વટાણા જેવી જણસીઓની માંગ સૌથી વધુ રહે છે. જોકે, આ કેટેગરીમાં અમેરિકન નિકાસ પર ભારતે ભારે ટેક્સ ઝીંકી દીધો હોવાની ફરિયાદ સાંસદોએ કરી છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતે ગયા વર્ષે 30 ઓક્ટોબરે પીળા વટાણા પર 30 ટકા ડ્યુટીની જાહેરાત કરી હતી, જે 1 નવેમ્બર 2025થી લાગુ થઈ છે.

પીએમ મોદી સાથે વાત કરવા અપીલ

બધા સમાચાર

+ વધુુ વાંચો