Boeing 787 technical faults: ગુજરાતના અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. આ ઘટનાના મહિનાઓ બાદ હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ઉડ્ડયન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દાવો કર્યો છે કે જે વિમાન ક્રેશ થયું હતું, તે પહેલેથી જ ખામીયુક્ત હતું.

