ઉત્તરકાશીના ધરાલીમાં 5 ઓગસ્ટ, 2025ના રોજ આવેલી ભયાનક આપત્તિએ અનેક લોકોના જીવનને હચમચાવી દીધા હતા. આવા મુશ્કેલ સમયમાં અમદાવાદના ઈસનપુરની રહેવાસી ધનગૌરી બરૌલિયા પોતાના પરિવાર સાથે ગંગોત્રીની યાત્રા દરમિયાન ફસાઈ ગયા હતા. કાટમાળ અને પ્રચંડ પાણીના પ્રવાહે રસ્તાઓ બંધ કરી દીધા અને ચારે બાજુ અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ હતું. આવી પરિસ્થિતિમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું, જેના કારણે ધનગૌરી અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.