BRICS Summit 2025માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે લડવા માટે એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રવિવારે (6 જુલાઈ) યોજાયેલા આ સંમેલનમાં PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે, આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે તોળી શકાય નહીં.

