Get App

BRICS Summit 2025: આતંકવાદ પર PM મોદીનો સખત સંદેશ, 'આંતકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં સંકોચ ન થવો જોઈએ'

બ્રાઝિલમાં યોજાયેલી BRICS સમિટમાં ભારતનો આતંકવાદ વિરોધી સ્પષ્ટ મત, પહેલગામ હુમલાની કડક નિંદા, આ સમિટમાં BRICS સમૂહે પહેલગામ આતંકવાદી હુમલા ની કડક શબ્દોમાં નિંદા કરી હતી. PM મોદીએ આ હુમલાને ભારતની આત્મા, ઓળખ અને ગરિમા પર સીધો હુમલો ગણાવ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jul 07, 2025 પર 10:21 AM
BRICS Summit 2025: આતંકવાદ પર PM મોદીનો સખત સંદેશ, 'આંતકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં સંકોચ ન થવો જોઈએ'BRICS Summit 2025: આતંકવાદ પર PM મોદીનો સખત સંદેશ, 'આંતકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં સંકોચ ન થવો જોઈએ'
વડાપ્રધાને જણાવ્યું કે, "આતંકવાદ આજે માનવતા માટે સૌથી ગંભીર પડકાર બની ગયો છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે, આતંકવાદની નિંદા કરવી એ આપણો 'સિદ્ધાંત' હોવો જોઈએ,

BRICS Summit 2025માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે લડવા માટે એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રવિવારે (6 જુલાઈ) યોજાયેલા આ સંમેલનમાં PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે, આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે તોળી શકાય નહીં.

પહેલગામ હુમલાની કડક નિંદા અને ભારતનો દ્રષ્ટિકોણ

આ સમિટમાં BRICS સમૂહે પહેલગામ આતંકવાદી હુમલા ની કડક શબ્દોમાં નિંદા કરી હતી. PM મોદીએ આ હુમલાને ભારતની આત્મા, ઓળખ અને ગરિમા પર સીધો હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ હુમલો ફક્ત ભારત પર જ નહીં, પરંતુ સમગ્ર માનવતા પરનો હુમલો હતો. BRICS દેશોએ આતંકવાદને સહન ન કરવાના અને તેના મુકાબલામાં બેવડા માપદંડ છોડી દેવાના ભારતના વલણને પુનરાવર્તિત કર્યું. નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર સહિત આતંકવાદનો સામનો કરવામાં તેમનો દ્રઢ અભિગમ સ્પષ્ટ કર્યો.

"આતંકવાદ માનવતા માટે સૌથી ગંભીર પડકાર"

વડાપ્રધાને જણાવ્યું કે, "આતંકવાદ આજે માનવતા માટે સૌથી ગંભીર પડકાર બની ગયો છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે, આતંકવાદની નિંદા કરવી એ આપણો 'સિદ્ધાંત' હોવો જોઈએ, માત્ર સગવડ નહીં. PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે, "જો આપણે પહેલા એ જોઈએ કે હુમલો કયા દેશમાં થયો, કોના વિરુદ્ધ થયો તો તે માનવતા સાથે વિશ્વાસઘાત કરવા જેવું થશે."

ચીનની ભૂમિકા અને PM મોદીનો પરોક્ષ ઇશારો

બધા સમાચાર

+ વધુુ વાંચો