Uttarayan 2026: ગુજરાતમાં આજે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ‘કાઈપો છે...’ ના નાદ સાથે આખું અમદાવાદ અગાશીઓ પર છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે અમદાવાદીઓ પર કુદરત અને પ્રદૂષણનો ‘બેવડો માર’ પડ્યો છે. બુધવારે વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગો તો દેખાયા, પણ સાથે પ્રદૂષણની એક ઘેરી ચાદર પણ જોવા મળી હતી, જેના કારણે લોકોની ચિંતા વધી છે.

