જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આજે સવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણમાં લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટના દક્ષિણ કાશ્મીરના કેલર વિસ્તારમાં આવેલા શુકરુ જંગલમાં બની હતી, જ્યાં સુરક્ષાબળોએ આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતીના આધારે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

