ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ હાઈવે પર ગુરુવારે સવારે એક ભયાનક બસ દુર્ઘટના ઘટી. ઘોલથીર વિસ્તારમાં 18 યાત્રીઓને લઈ જતી એક ટેમ્પો ટ્રાવેલર બસ અનિયંત્રિત થઈને અલકનંદા નદીમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં એક યાત્રીનું મોત થયું છે, જ્યારે સાત અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 11 યાત્રીઓ હજુ લાપતા છે, અને તેમની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.