અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલી ફતેહવાડી કેનાલ ખાતે ગોઝારી ઘટના બની. અહીં રિલ્સના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટનામાં હજી બે યુવકોની લાશ મળી છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા અન્ય ત્રીજા યુવાનનો મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે. આ સમાચાર મળતાની સાથે યુવાનોના પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો છે. પરિવારે પોતાના વ્હાલસોયાને ખોતા તેમના પર આભ તુટી પડ્યું છે. ઘટનાસ્થળે અને પરિજનોના નિવાસસ્થાને આક્રંદ સંભળાઈ રહ્યો છે.

