પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત ઉચ્ચસ્તરીય બેઠકોથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છવાયો છે. ભારતની સંભવિત કાર્યવાહીના ડરથી પાકિસ્તાને હવાઈ હુમલા કે અન્ય કટોકટીની સ્થિતિમાં નાગરિકોને ચેતવણી આપવા માટે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના 29 જિલ્લાઓમાં આધુનિક ઈલેક્ટ્રિક સાયરન સિસ્ટમ સ્થાપવાની શરૂઆત કરી છે.