India-US Trade: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની ઘોષણા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કડક પ્રતિસાદ આપ્યો છે. PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત પોતાના ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્રના હિતોનું રક્ષણ કરવામાં કોઈ સમજૂતી નહીં કરે.