ગુજરાતમાં ચાલી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે રાજ્યના લોકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આજથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ આંશિક રીતે ઘટવાની શક્યતા છે, જેના કારણે નાગરિકોને થોડી રાહત મળી શકે છે. આ સાથે જ આવતીકાલથી રાજ્યમાં પ્રી-મોનસૂન પ્રવૃત્તિઓની શરૂઆત થશે, જેના પરિણામે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.