Somnath Temple History: ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવનું મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ ભારતીય અસ્મિતા અને અદમ્ય સાહસનું જીવંત ઉદાહરણ છે. સોમનાથના ઈતિહાસમાં આજના દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે આશરે 1000 વર્ષ પહેલાં અફઘાનિસ્તાનથી આવેલા આક્રમણખોર મહેમૂદ ગઝનવીએ આ મંદિર પર સૌથી ભયાનક હુમલો કર્યો હતો.

