નવસારી જિલ્લાના તપોવન આશ્રમશાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષના વિદ્યાર્થી મેઘ શાહનું હૃદયરોગના હુમલાને કારણે મોત થયું. આ ઘટનામાં હોસ્ટેલના સ્ટાફે હાર્ટ એટેકને એસિડિટી સમજીને ખોટી સારવાર આપી, જેના કારણે બાળકે આખી રાત પીડા સહન કરી અને સમયસર હોસ્પિટલ ન પહોંચતાં તેનું મૃત્યુ થયું. આ ઘટનાએ શાળા મેનેજમેન્ટની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.