ભારતના કડક પગલાંઓથી પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઊભું થયું છે. પુલવામા અને પહેલગામ આતંકવાદી હુમલાઓ બાદ ભારતે પાકિસ્તાન પર લગાવેલા પ્રતિબંધોએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. ભારતીય બંદરો પર પાકિસ્તાની માલવાહક જહાજોને રોકવામાં આવતા માલસામાનના ખર્ચમાં વધારો થયો છે અને ડિલિવરીમાં મોટો વિલંબ થઈ રહ્યો છે. આનાથી પાકિસ્તાનમાં જરૂરી ચીજવસ્તુઓની અછત અને મોંઘવારીમાં ઝડપથી વધારો થયો છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે.