ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ પાકિસ્તાનની બેચેની વધી છે. પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં પાણીની અછતની સમસ્યા ઉભી થઈ છે, અને હવે પાકિસ્તાન બ્રહ્મપુત્ર નદીને લઈને ખોટો પ્રોપેગન્ડા ફેલાવી રહ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે જો ચીન બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકી દેશે, તો ભારતને મોટું નુકસાન થશે. આના જવાબમાં અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ફેક્ટ્સ સાથે પાકિસ્તાનની આ થિયરીને ખંડન કર્યું છે.