AI Impact Summit 2026: ટેકનોલોજીની દુનિયામાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાથી લોકોની નોકરીઓ જતી રહેશે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ ડરને પાયાવિહોણો ગણાવ્યો છે. 19 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026માં તેમણે સ્પષ્ટ કર્યું કે અમે સાબિત કરીશું કે AI ના કારણે નોકરીઓ ખતમ નહીં થાય પરંતુ રોજગારીની નવી તકોમાં વધારો થશે.

