ભારતના લોકતાંત્રિક ઇતિહાસના સૌથી કાળા અધ્યાય તરીકે ઓળખાતી ઇમરજન્સીના 50 વર્ષ આજે પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ ઇમરજન્સી ડાયરીઝ’માં પોતાના અનુભવો શેર કર્યા છે અને દેશવાસીઓને સોશિયલ મીડિયા પર 1975-77ના દુ:ખદ સમયની યાદો શેર કરવા અપીલ કરી છે. તેમણે આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે યાદ કર્યો.