કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં ‘સંવિધાન બચાવો રેલી’ યોજવાની મોટી જાહેરાત કરી છે. આ રેલીઓ 25 એપ્રિલથી શરૂ થશે અને 30 એપ્રિલ સુધી ચાલશે. આ રેલીઓનો હેતુ સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાયનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે. પાર્ટીના નેતાઓ લાંબા સમયથી એવો દાવો કરી રહ્યા છે કે દેશનું બંધારણ ખતરામાં છે, અને આ રેલીઓ તે જ ચિંતાને વ્યક્ત કરવા માટે યોજાશે.