અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રાહુલ ગાંધીની નાગરિકતા અંગે 10 દિવસની અંદર સ્પષ્ટ અહેવાલ રજૂ કરવામાં આવે. આ મામલાની આગામી સુનાવણી માટે 5 મે, 2025ની તારીખ નક્કી કરવામાં આવી છે.