કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષે પોતાની તુલના ભગવાન શિવના જ્યોતિર્લિંગ સાથે કરી. પોતાના નામનો અર્થ સમજાવતા ખડગેએ કહ્યું કે મારું નામ પણ મલ્લિકાર્જુન છે, હું પણ એક પવિત્ર જ્યોતિર્લિંગ છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની આ 17 સેકન્ડની ક્લિપ વાયરલ થયા બાદ રાજધાનીમાં રાજકીય તાપમાન વધી ગયું છે. જેને લઈને ભાજપ આક્રમક બન્યું છે. પાર્ટીના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ તેને હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યું છે.

