Indian Army Chief: ભારતીય સેનાના પૂર્વ ચીફ જનરલ મનોજ નરવણે (નિવૃત્ત) ના બહુચર્ચિત પુસ્તકને લઈને વિવાદ અને રાજકારણ ગરમાયું છે. આ પુસ્તકના કથિત લીક અંગે દિલ્હી પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે, જેના પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને પબ્લિશર કરતા દેશના પૂર્વ આર્મી ચીફ પર વધારે ભરોસો છે.

