Middle East War: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના એર્નાકુલમમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંકટ મુદ્દે કોંગ્રેસ તેમજ ડાબેરી પક્ષો પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા ગંભીર વૈશ્વિક સંકટના સમયે પણ વિપક્ષ રાજકારણ રમી રહ્યો છે અને દેશમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યો છે.

