Get App

Middle East War: 'વૈશ્વિક સંકટમાં પણ કોંગ્રેસ રાજકારણ રમી રહી છે, ફેક ન્યૂઝથી સાવધાન રહો', પીએમ મોદીના આકરા પ્રહાર

મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે પીએમ મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષ વૈશ્વિક સંકટમાં ડર ફેલાવે છે, લોકો ફેક ન્યૂઝથી સાવધાન રહે.

MoneyControl Newsઅપડેટેડ Mar 11, 2026 પર 4:53 PM
Middle East War: 'વૈશ્વિક સંકટમાં પણ કોંગ્રેસ રાજકારણ રમી રહી છે, ફેક ન્યૂઝથી સાવધાન રહો', પીએમ મોદીના આકરા પ્રહારMiddle East War: 'વૈશ્વિક સંકટમાં પણ કોંગ્રેસ રાજકારણ રમી રહી છે, ફેક ન્યૂઝથી સાવધાન રહો', પીએમ મોદીના આકરા પ્રહાર
કોરોના કાળ અને યુક્રેન યુદ્ધ બાદ ગલ્ફમાં ચાલી રહેલા આ નવા સંકટે ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશ માટે 'આત્મનિર્ભર' હોવું કેટલું જરૂરી છે.

Middle East War: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના એર્નાકુલમમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંકટ મુદ્દે કોંગ્રેસ તેમજ ડાબેરી પક્ષો પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા ગંભીર વૈશ્વિક સંકટના સમયે પણ વિપક્ષ રાજકારણ રમી રહ્યો છે અને દેશમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યો છે.

નાગરિકોને ફેક ન્યૂઝથી બચવાની અપીલ

વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી હતી કે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે તેઓ કોઈપણ પ્રકારના ફેક ન્યૂઝથી સાવર્ક રહે. તેમણે કહ્યું કે, "જ્યારે દેશને એકજૂથ થઈને ઊભા રહેવાની જરૂર છે, ત્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ યુદ્ધના સમયે દેશમાં ગભરાટ અને ડર ફેલાવવાનું કામ કરી રહ્યા છે."

'મોદીને ગાળો આપવાની રીલ બનાવવા માંગે છે વિપક્ષ'

પીએમ મોદીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ જાણીજોઈને એવા ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે જેથી સ્થિતિ વધુ બગડે.

તેમનો ઈરાદો છે કે આપણા ભારતીય નાગરિકો ત્યાં મુશ્કેલીમાં મુકાય.

ત્યારબાદ આ લોકો ભેગા મળીને મોદીને ગાળો આપવાની 'રીલ' બનાવવાનું અભિયાન શરૂ કરી શકે. આ જ તેમની રમત છે. જોકે, પીએમ મોદીએ દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું કે અખાતી (ગલ્ફ) દેશોની સરકારો ભારતીયોનું પૂરું ધ્યાન રાખી રહી છે અને ત્યાં આવેલા ભારતીય દૂતાવાસ 24/7 નાગરિકોની મદદ માટે કાર્યરત છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો