Parliament Monsoon Session: રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા અંગે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે દેશ પર આતંકી હુમલો થયો ત્યારે આખો વિપક્ષ એકજૂટ થઈને સરકારની સાથે ઊભો રહ્યો હતો. ખડગેએ કહ્યું કે કોંગ્રેસે બિનશરતી સમર્થન આપ્યું હતું, જેથી દેશ આતંકવાદ સામે એકતાથી લડી શકે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે જે આતંકીઓએ આપણા લોકોની હત્યા કરી, તેઓ હજુ પણ ફરાર છે અને તેમના પર કાર્યવાહી શા માટે નથી થઈ?