India-Ethiopia relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વ્યસ્ત કાર્યસૂચિ વચ્ચે 4 દિવસના વિદેશ પ્રવાસે જવા રવાના થયા છે, જ્યાં તેઓ 3 મહત્વના દેશોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જૉર્ડન, ઇથોપિયા અને ઓમાન જશે. આ તમામ મુલાકાતોમાં, ઇથોપિયાનો પ્રવાસ ભારત માટે વ્યૂહાત્મક અને કૂટનીતિક દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મુલાકાત પાછળનું મુખ્ય કારણ વર્ષ 2026માં ભારત દ્વારા યોજાનારી બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા છે. ઇથોપિયામાં ભારતના રાજદૂત અનિલ કુમાર રાયના જણાવ્યા મુજબ, આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે અને સંયુક્ત રાષ્ટ્ર સુધારા તેમજ બ્રિક્સ એજન્ડા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સહયોગને નવી ઊંચાઈ આપશે.

