Mani Shankar Aiyar: કોંગ્રેસના વરિષ્ઠ અને હંમેશા ચર્ચામાં રહેતા નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. તેમણે સીધી રાહુલ ગાંધીને સલાહ આપી છે કે તેમણે હવે ‘INDI ગઠબંધન' (INDIA Alliance)ની કમાન છોડી દેવી જોઈએ. અય્યરના આ નિવેદને માત્ર વિરોધ પક્ષોમાં જ નહીં પરંતુ ખુદ કોંગ્રેસ પાર્ટીની અંદર પણ ભારે હલચલ મચાવી દીધી છે.

