Get App

Supreme Court of India: ‘નેતાઓ એકબીજાનું માન જાળવે અને દેશમાં ભાઈચારો વધારે’, હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટકોર

Supreme Court of India: સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મુદ્દે નેતાઓને લાલ આંખ કરતા કહ્યું કે ચૂંટણી લડવી હોય તો એકબીજાનું માન જાળવવું પડશે. જાણો હેટ સ્પીચ પર રોક લગાવતી અરજી અને જસ્ટિસ નાગરત્નાના સવાલ વિશે વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 10:56 AM
Supreme Court of India: ‘નેતાઓ એકબીજાનું માન જાળવે અને દેશમાં ભાઈચારો વધારે’, હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટકોરSupreme Court of India: ‘નેતાઓ એકબીજાનું માન જાળવે અને દેશમાં ભાઈચારો વધારે’, હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટકોર
Supreme Court of India: સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મુદ્દે નેતાઓને લાલ આંખ કરતા કહ્યું કે ચૂંટણી લડવી હોય તો એકબીજાનું માન જાળવવું પડશે.

Supreme Court of India: દેશમાં ચૂંટણીનો માહોલ હોય કે સામાન્ય દિવસો, નેતાઓ દ્વારા અપાતા વિવાદાસ્પદ નિવેદનો અને ‘હેટ સ્પીચ’ (Hate Speech) હવે સામાન્ય બાબત બની ગઈ છે. ઘણીવાર આવા ભાષણોને કારણે સામાજિક વાતાવરણ ડહોળાય છે. આ ગંભીર મુદ્દો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મુદ્દે સુનાવણી દરમિયાન એક મહત્વની અને સૂચક ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજકારણીઓએ ચૂંટણી લડતી વખતે એકબીજાનું માન જાળવવું જોઈએ અને દેશમાં ભાઈચારો વધે તેવા પ્રયાસો કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ સલાહ: ભાઈચારો અને બંધારણનું પાલન જરૂરી

આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્મા દ્વારા આપવામાં આવેલા કથિત હેટ સ્પીચના નિવેદનોને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ જોયમાલ્યા બાગ્ચીની બેંચે મૌખિક ટકોર કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષો અને નેતાઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે તેમના શબ્દો અને વર્તનથી દેશમાં ભાઈચારો વધે. માત્ર ચૂંટણી જીતવા માટે મર્યાદા વટાવવી યોગ્ય નથી. નેતાઓએ બંધારણીય મૂલ્યોનું પાલન કરવું અનિવાર્ય છે.

જસ્ટિસ નાગરત્નાનો વેધક સવાલ: "વિચારો પર કાબૂ કેવી રીતે રાખવો?"

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને એક વિચારવા જેવો સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "કોઈ પણ વ્યક્તિ બોલે તે પહેલાં તેના મનમાં વિચાર આવે છે. આપણે ભાષણ પર તો રોક લગાવી શકીએ, પણ કોઈના મનમાં ઉદ્ભવતા વિચારોને કેવી રીતે કંટ્રોલ કરી શકાય?"

તેમણે ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું કે જો આપણે હેટ સ્પીચ રોકવા માટે ગાઈડલાઈન જાહેર પણ કરી દઈએ, તો શું તેની ગેરંટી છે કે તેનું યોગ્ય રીતે પાલન થશે? આ સવાલ રાજકારણમાં વધી રહેલી કડવાશ સામે લાલ બત્તી સમાન છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો