Waqf Amendment Bill: કોંગ્રેસના સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે, "વક્ફ બિલને જબરજસ્તી પાસ કરાવવામાં આવ્યું છે, આ બંધારણ પર ખુલ્લો હુમલો છે. ગઈકાલે વક્ફ સંશોધન વિધેયક, 2024 લોકસભામાં પાસ થયું અને આજે તેને રાજ્યસભામાં રજૂ કરવાનું છે. આ બિલને ખરેખર જબરજસ્તીથી પસાર કરવામાં આવ્યું. અમારા પક્ષનું વલણ સ્પષ્ટ છે. આ વિધેયક બંધારણ પર નિર્લજ્જ હુમલો છે. આ ભાજપની સુનિયોજિત રણનીતિનો ભાગ છે, જે સમાજને કાયમી ધ્રુવીકરણની સ્થિતિમાં રાખવા માગે છે."