ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી એકવાર નવી શરૂઆત થવા જઈ રહી છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે ચાલી આવતા રાજદ્વારી તણાવ પછી, આ મુલાકાતને સંબંધો 'રીસેટ' કરવા અને વેપાર તેમજ સુરક્ષાના મામલે એક મોટું પગલું માનવામાં આવે છે.

