India-Pakistan air Ban: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર હવે હવાઈ માર્ગો પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને દેશોએ એકબીજાના એરસ્પેસ પર પ્રતિબંધ લંબાવીને 24 સપ્ટેમ્બર 2025 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ભારતના નવા NOTAM (નોટિસ ટૂ એરમેન) અને પાકિસ્તાનના 20 ઓગસ્ટના NOTAMને અનુસરે છે. આ પ્રતિબંધ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેના કારણે બંને દેશોના સંબંધોમાં તિરાડ પડી હતી.